આસામના જળસંસાધન મંત્રીશ્રી પિયુષ હજારિકા સુરતની મુલાકાતે
પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સ્વ.શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરશે
આસામના જળસંસાધન મંત્રીશ્રી પિયુષ હજારિકા તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્કાય વોક એપાર્ટમેન્ટ, મૌની સ્કુલની સામે, ઉત્રાણ, મોટા વરાછા ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સ્વ.શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોને આસામ સરકાર તરફથી રૂ.પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કરશે. ત્યારબાદ તેઓ રોડમાર્ગે વડોદરા જવા રવાના થશે.






