Traffic Tail

પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ

SHARE:

પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડતા કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ છેઃ સત્વરે સંપર્ક સાધવા અનુરોધ
સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણિક સંસ્થાઓમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી ફોર્મ ભરીને સત્વરે જમા કરાવવું. વધુ વિગતો માટે ટે.નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/ મો.૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!