સુરત શહેરના અડાજણના શીટ નં.૩૫ ચાલતા નં.૨૬૬ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.
પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધ.
સુરત જિલ્લાના અડાજણના સીટી સર્વેમાં દાખલ કરવા માટે મળેલી મજુરી અનુસાર ઈન્કવાયરી અધિકારી અડાજણ-૧ની કચેરીના શીટ નં.૩૫ ચાલતા નં.૨૬૬નું રેકર્ડ તૈયાર કરીને તા.૩૦/૧૨/૨૦૨૫ના રોજ ગુજરાત મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. ઈન્કવાયરી અધિકારી અડાજણ-૧નું તૈયાર થયેલ રેકર્ડ, પ્રોપર્ટી, કાર્ડ, નકશા કે અન્ય રેકર્ડ ખુલ્લું મુકવામાં આવ્યું છે જેથી સામે જો કોઈ કોઈને વાંધો હોય તો તા.૩૦મી ડિસેમ્બર સુધીમાં ઈન્કવાયરી અધિકારીની કચેરી, અડાજણ-૧ની કચેરી, સી-બ્લોક છઠ્ઠો માળ, બહુમાળી મકાન, નાનપુરાની કચેરી ખાતે લેખિતમાં રજુ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.




