Traffic Tail

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત લાજપોર જેલના બંદીવાનોના માનસિક તનાવને દૂર કરવા એક મહિનાની યોગ શિબિર યોજાઈઃ

SHARE:

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત લાજપોર જેલના બંદીવાનોના માનસિક તનાવને દૂર કરવા એક મહિનાની યોગ શિબિર યોજાઈઃ

અહિંસાથી એકતા સુધીના એક મહિનામાં જેલ સ્ટાફ અને કેદીઓએ યોગ દ્વારા તંદુરસ્તી કેળવી
ગુજરાત સરકારના યોગ બોર્ડના સહકારથી સુરત લાજપોર જેલમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
બંદીવાનો માનસિક તનાવમાંથી બહાર આવે તેમજ તેઓ નિયમિત યોગ દ્વારા સ્વાસ્થ્ય કેળવાય તેવા હેતુ સાથે દેશભરમાં અહિંસા દિવસ ૨જી ઓક્ટોબરથી શરૂ કરીને તા.૩૧ ઓક્ટોબર દરમિયાન યોગ બોર્ડ દ્વારા લાજપોર જેલમાં એક મહિના દરમિયાન યોગની તાલીમ શિબિર યોજાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમ પામેલા સર્ટિફાઇડ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા આ શિબિર નિયમિતપણે દરરોજ કેદીઓ અને સ્ટાફને વિવિધ યોગાસનો શીખવ્યા હતા. આ પદ્ધતિથી કેદીઓમાં સકારાત્મકતા વધે અને શાંતિ અનુભવે તેવું વાતાવરણ તૈયાર સર્જાયું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં બંદીવાનોએ ભાગ લીધો હતો.
યોગથી કેદીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે આ પ્રવૃત્તિ જેલમાં કેદીઓના સુધારા માટે એક ઉત્તમ પગલું પુરવાર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!