સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરત દ્વારા ૩૦ દિવસીય મેદસ્વિતા મુકત કેમ્પનું આયોજન.
રાજયના રમતગમત વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૭૫ માં જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૩૦ દિવસનું રીઝલ્ટ ઓરિએન્ટેડ, મેદસ્વિતા મુક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
વધુ વિગતો આપતા ઝોન કોર્ડીનેટર ડો. પારુલ પટેલે જણાવ્યું કે, સુરતમાં આવા પાંચ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનો લાભ લેવા માટે સીટી લાઈટ ( 9979711185), પાંડેસરા ( 9725712971), વરાછા ( 9327821975), માંડવી ( 9428142721), કામરેજ ( 9726814600) સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.





