મજૂરા ITI-સુરત ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ૧૧૯૯ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત
રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મજૂરા ગેટ, સુરત ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ૧૧૯૯ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સાથે જ સંસ્થાના આચાર્ય કે.બી.મિસ્ત્રીએ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવતા તેમને ઉદ્યમી સાહસિકતા, એપ્રેન્ટીસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના આઈ.એમ.સી. કમિટીનાં ચેરમેનશ્રી વિશાલભાઈ ઉપાધ્યાય, સિનિયર એન્જિનિયર કુ.હેતાક્ષી ત્રિવેદી અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






