મહુવા તાલુકાનાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ હેઠળ ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઈ’ની મુલાકત કરાવાઈ

રાજ્યનાં દરેક જિલ્લાઓમાં ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ રહી છે. જેમાં તેઓને પારંપરિક ખેતીનાં વિવિધ તબક્કાઓનો વાસ્તવિક ખ્યાલ આપવાના ઉદ્દેશથી સભા-સંમેલન, પ્રદર્શન-નિદર્શન સહિતની અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. સુરતનાં મહુવા તાલુકાના
ઓંડચ અને કાદીયા ગામના ખેડૂતોને જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈ ખાતે મુલાકત કરાવી પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. અને પ્રાકૃતિક કૃષિનાં મહત્વ તેમજ ફાયદા વિષે સમજાવી ખેડૂતોને પારંપરિક કૃષિની દિશામાં આગળ વધવા આહવાન કર્યું હતું.





