તા.૧૫ નવેમ્બરે વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની પલસાણા તાલુકાના અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત સંદર્ભે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’નું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
આગામી તા.૧૫/૧૧/૨૦૨૫ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે આવનાર છે. જે સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામાં થકી તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી આ પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન કોન્વોય રૂટ અને અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનના વિસ્તારને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે, જ્યાં પોલીસ વિભાગના ડ્રોન સિવાય અન્ય કોઈ પણ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.




