મહુવા વિઘ્નેશ્વર મંદિરના પાછળ પ્રદુષણ નું સામ્રાજય વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ…
સુરત,મહુવા:-મહુવા ટાઉનમાં આવેલ અતિ પ્રાચીન વિઘ્નેશ્વર મંદિર જ્યાં હરરોજ મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે મંદિર ના પાછળ ભાગે ગંદકી નું મસમોટું સામ્રાજ્ય જોવા મળ્યું છે તો ગંદકી તેમજ કચરાને સળગાવવામાં આવતા તેમાંથી નીકળતા ઝેરી ધુમાડા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે જાગૃત નાગરિક દ્વારા પ્રદુષણ ઓકતા સામ્રાજય નો વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ કરતા મહુવા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક તરત ઘટના સ્થળ નું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા અને ટુક જ સમયમાં પ્રદુષણ રોકવા માટે જરૂરી વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળે છે.


