કરચેલીયા ગામે વિશાળ જનમેદની સાથે તિરંગા યાત્રા યોજાઈ.
મહુવા તાલુકાના કરચેલીયા ગામે તિરંગા પદયાત્રા ની ભવ્ય રેલી યોજી સેનાના જવાનોને ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્ય સફળતા બદલ સમગ્ર મહુવા તાલુકાના ભારતીય જનતાપાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નાગરિકો ભેગા મળી રાષ્ટ્રીય એકતા અને સરહદ પર ના સુરક્ષા જવાનોના સન્માન માટે ‘તિરંગા પદયાત્રા'”માં જોડાયા હતા.કરચેલીયા ખાતે યોજાયેલ આ તિરંગા યાત્રામાં મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક સહિત સંગઠન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ આ તિરંગયાત્રામાં ભારતીય સૈન્ય માં ફરજ બજાવનાર અજયચૌધરી (ગામ નળધરા )અને રિટાયર્ડ કર્નલ અજીત પટેલ ( ગામ સરૈયા ) નું સન્માન કરવામાં આવ્યું હતું.મહુવા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા ના ભાગ રૂપે ઘડે પગે હાજર જોવા મળી હતી.






