ધનગૌરી સાર્વજનિક વિદ્યાલયનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું 76.69 ટકા પરિણામ આવ્યું

સુરત,મહુવા:-શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ, વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલયનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું 76.69 ટકા પરિણામ આવ્યું, જેમાં શાળામાં પ્રથમ નંબર નાયકા વૈભવી એન. 75.60 ટકા, બીજો ક્રમ પટેલ હિનલ એમ. 74.40 ટકા અને તૃતીય ક્રમ બારોટ મિહિર એચ. 71.46 ટકા મેળવ્યો હતો. આ સંસ્થાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું 70.58 ટકા આવ્યું જેમાં શાળામાં પ્રથમ નંબર પટેલ સ્નેહલ એચ. 74.71 ટકા,
બીજો ક્રમ પટેલ નીરવ જે. 72.74 ટકા અને તૃતીય ક્રમ મોતાલા રીઝવાના એસ. 68.29 ટકા મેળવ્યા. તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી સતીષભાઈ એન. પટેલ, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી,ખજાનચી, મંડળના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી નીલેશકુમાર પ્રજાપતિ, શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનોએ અભિનંદન પાઠવ્યા હતા.



