સુરત શહેરના અડાજણના શીટ નં.૩૬ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે
પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજૂ કરવા અનુરોધઃ
સુરત શહેરના અડાજણમાં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી: રાંદેરની કચેરીના શીટ નં. ૩૬: ચા.નં.૩૯૨નું રેકર્ડ તૈયાર કરીને તા.૧૬/૦૧/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને ઈન્કવાયરી અધિકારી રાંદેરની કચેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૧૬/૦૧/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-રાંદેરની કચેરી, જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.





