“નમો કે નામ” રક્તદાન અંતર્ગત પુના આશ્રમશાળા ખાતે 98 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

સુરત,મહુવા:-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે મહુવા તાલુકામાં સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત નમો કે નામ રક્તદાન કાર્યક્રમ આશ્રમશાળા પુના ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી બામણિયા ના પ્રમુખ અને યજમાન આશ્રમશાળા પ્રમુખ માનસિંહ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે માનસિંહ પટેલે ગામના સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા હતા તેમજ શિક્ષણ અને વ્યસનમુક્તિ પર ભાર મુક્યો હતો.ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ રક્તદાન ને કોઈનું જીવન બચાવવાનું ભગીરથ કાર્ય ગણાવ્યું હતું તેમજ મહિલાઓ પણ રક્તદાન કરતા તેઓનો અભિનંદન આપ્યા હતા.નમો કે નામ
રક્તદાન કાર્યક્રમ અંતર્ગત 98 યુનિટ રક્તદાન મેળવવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ. એ.પટેલ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન સહિત તાલુકા પંચાયત સભ્યો યજમાન ગામના સરપંચ રેખા બેન સહિત આજુબાજુ ગામના સરપંચો,મહુ વા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક,મહુવા મામલતદાર,તાલુકા હેલ્થ ઓફિસર મનોજભાઈ,મહુવા પી.આઈ.પારઘી,તાલુકા શિક્ષણા અધિકારી,બી.આર.સી સહિત શિક્ષકગણ તેમજ રક્તદાતાઓ તેમજ મેડિકલ ટીમ ઉપસ્થિત રહી હતી.





