ઉમરપાડા તાલુકાના વાહર ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરાયું

રાજ્યસરકાર દ્વારા રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમરપાડા તાલુકાના વાહર ગામે નેચરલ ફર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે
તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં ઉમરપાડાના TPM ભાવેશભાઈ અને ATM ઘનશ્યામભાઈ દ્વારા ખેડૂતોને ‘પ્રાકૃતિક કૃષિ’ અને તેના ફાયદા વિષે માહિતગાર કરવામા આવ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયમો અને આ ખેતી માટે મળતી સરકારી યોજનાઓ વિશે સમજૂતી આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન અપાયું હતું.






