સ્વ.અટલ બિહારી બાજપાઈ ના જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાજલી કાર્યક્રમ યોજાયો.
મહુવા તાલુકાના બુધલેશ્વર બાપા સીતારામ ની મઢુલી ખાતે સ્વ.અટલ બિહારી બાજપાઈ જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વ.અટલ બિહારીના જન્મ જ્યંતી ને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ બુધલેશ્વર ખાતે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન પટેલ, સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ, મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ નાયક તેમજ તાલુકા જિલ્લા પંચાયત ના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




