માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે સુવર્ણતકઃ
તા.૩૧ ઓકટોબર સુધી www.navodaya.gov.in ઓનલાઈન અરજી કરી શકાશે.
ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયની ખાલી જગ્યાઓ માટે ધો.૯ અને ધો.૧૧ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. તા.૩૧ ઓકટોબર સુધીમાં www.navodaya.gov.in ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવેશ માટેની લાયકાત તથા વધુ માહિતી માટે ઉપરોકત વેબસાઈટ પરથી મળી રહે તેમ વાંકલ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






