મિલેટ્સનું આંતરાષ્ટ્રીય વર્ષ-૨૦૨૩
તા.૧૪મીએ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ખેતીવાડી વિભાગ દ્વારા કામરેજ દાદા ભગવાન મંદિર ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે
યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગે જાગૃતિ આવે એ માટે સુરત ખેતીવાડી વિભાગ દ્વારા આગામી તા.૧૪મીએ સવારે ૧૦:૦૦ વાગે કામરેજ તાલુકાના દાદા ભગવાન મંદિર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, જિલ્લા પંચાયાતના દંડક મુકેશભાઈ રાઠોડ, સંયુક્ત ખેતી નિયામક(વ)શ્રી કે.વી.પટેલ, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન રાઠોડ અને રવજીભાઈ વસાવા ઉપસ્થિત રહેશે.






