શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાનો શેરડી પાક પરિસંવાદ મોક્ષમાર્ગી મંદિર અનાવલ ખાતે યોજાયો.

શેરડીના પાક અંગે આધુનિક ખેતી પદ્ધતિ થકી ઓછો ખેતી ખર્ચ અને વધુ ઉત્પાદન મળી રહે અને ખેતી પધ્ધતિ થતા ખેતીકાર્યોના માર્ગદર્શન થકી પ્રતિ એકર મહત્તમ ઉત્પાદન મેળવવા માટે રાનકુવા અને અનાવલ ઝોનના ખેડૂતો માટે ખેડૂત શિબિર સંસ્થાના ચેરમેન માનસિંહ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં જમીન ચકાસણી, શેરડીના પાક માટે જરૂરી જમીન વ્યવસ્થાપન, શેરડીની નવી જાતો,
શેરડીમાં આવતા રોગો અને જીવાત નિયંત્રણ, નીંદામણ નિયંત્રણ, ખાતરનો સમય પ્રમાણે વપરાશ, ડ્રીપ ઈરીગેશન જે બાબતે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થા ના ઉપપ્રમુખ સહિત ડિરેકટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.






