રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો વસરાઈ
દક્ષિણ ગુજરાતના દેશની સુરક્ષા કાજે શહીદ આદિવાસી જવાનોને શ્રધાંજલિ, નિવૃત જવાનો અને શહીદોની વીરાંગનાઓનું સન્માન
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળામાં આદિવાસી સમાજ વિવિધ ક્ષેત્રે આગળ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની સાથે દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યુ છે, એવા દક્ષિણ ગુજરાતના આદિવાસી શહીદ જવાનોને શ્રધાંજલિ આપવામાં આવી હતી. સાથે નિવૃત જવાનો અને શહીદોની વીરાંગનાઓનું સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા સહિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નિવૃત જવાનોએ તેમના પ્રતિભાવો પણ આપ્યા હતા.





