સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ
સુરત શહેરમાં જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલૌતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કમિશ્નરેટ વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યાએ ચાર કે તેથી વધુ માણસોને ભેગા થવા/સભા ભરવા/ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો અમલ તા:૨૭/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવશે આ હુકમ સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





