દેદવાસણ ગામે દીપડો પાંજરે કેદ, કરચેલીયા ખાતે અજગર નું દિલધડક રેસ્ક્યુ..
સુરત જિલ્લા ના મહુવા તાલુકામાં દીપડા પાંજરે પુરવાની ઘટના સામાન્ય બની જવા પામી છે ત્યારે દેદવાસણ ગામે દીપડા ના આંટાફેરા એ લોકોને ભયભીત કરી દીધા અને જેને પગલે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવ્યા બાદ દીપડો પાંજરે કેદ થઈ જવા પામ્યો હતો.જેને વન વિભાગની ટીમે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે તાલુકાના કરચેલીયા ગામે ચાલીસ ગાળા નજીક એક વિશાળ કાય અજગર નું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.અજગર નજરે પડતા ફ્રેન્ડસ ઓફ એનિમલ ટ્રસ્ટ ની ટીમને જાણ કરાતાં ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અજગર ને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો અજગર 7 ફૂટ લાંબો અને 16 કિલો વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે જેને મુક્ત વાતાવરણમાં છોડવા આવશે.




