ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૯ ઓક્ટોબરના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા અનુરોધ
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ,સુરત ખાતે આગામી તા.૯-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટની યાદીમાં જણાવાયું છે.


