૨૦૦૧ના વર્ષમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી અંજનાબેનના વારસદારને રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરતા રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવાર.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તા:૧૦/૦૫/૨૦૦૧ના રોજ સફાઈ કામદાર અંજનાબેનનુ મૃત્યુ થયુ હતું. જેના વારસદાર પિતા અંજનેયુલ ગોલાને રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ દિલ્હીના ઉપાધ્યક્ષા શ્રીમતી અંજના પંવારજીના હસ્તે રૂ. ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અંજના પંવારજીએ સુરત શહેરના પાલ ગામ ખાતે તાજેતરમાં ગટર ગુંગળામણથી એક વ્યક્તિનુ મૃત્યુ થયું હતું જે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી


